Who We Are

સુરતના ડિંડોલી વિસ્તારના ઓમનગર માં સ્થાપિત શ્રી ઉમિયા માતાજીનું મંદિર ઉમાપુરમ્ નામે પ્રસિદ્ધ છે. મંદિરમાં કડવા પાટીદાર કુળદેવી એવા શ્રી માં ઉમિયા બિરાજમાન છે ઉપરાંત શ્રી ઉમેશ્વર મહાદેવ, શ્રી ગણેશ, રાધા કૃષ્ણ, સંકટમોચન હનુમાન તેમજ અન્ય દેવી દેવતાઓ બિરાજમાન છે.

મંદિરમાં દૈનિક પૂજા ઉપરાંત, સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો અને તહેવારોનું આયોજન કરવામાં આવે છે. મંદિરમાં ઉજવાતા સૌથી લોકપ્રિય તહેવારોમાં નવરાત્રી, દિવાળી અને જન્માષ્ટમીનો સમાવેશ થાય છે જે ભક્તોને એકસાથે આવવા અને તેમની આસ્થા અને સંસ્કૃતિની ઉજવણી કરવાની તક પૂરી પાડે છે.

VIEW MORE
Havan Puja
VISHV UMIYA FOUNDATIONKast Bhanjan Dev Mandal
મહાદેવશ્રી ઉમેશ્વર મહાદેવ
ઉમિયાજીશ્રી ઉમિયા માતાજી
રાધે ક્રિષ્નાશ્રી રાધે ક્રિષ્ના
ઉમાપુરમ્

Our Services

સુંદર વિવાહ સમારંભો કે સામાજિક સમારંભો માટે

ઉમા ભવન - વાડી

ઉમા ભવન - વાડી વિવિધ સામાજિક સમારંભો માટે એક સુવિધાજનક સ્થળ છે. ઉમાપુરમ ડિંડોલી સ્થિત ઉમા ભવનમાં પરિવારના વિવિધ સમારંભોનું આયોજન કરી શકો છો, જેમાં વિવાહ, ગોદ ભરાઈ, જન્મદિવસ, પ્રાર્થના સભા, વિનંતી સભા વગેરે સમારંભો શામેલ છે.

READ MORE

આરામદાયક અને સુવિધાજનક વિશ્રામ ગૃહ

ઉમા ભવન - અતિથિ ગૃહ

ઉમાપુરમ ડિંડોલી સ્થિત ઉમા ભવન - અતિથિ ગૃહ મહેમાનો માટે સુંદર સુવિધાઓથી સજ્જ વિશ્રામ ગૃહ છે જેમાં એર કન્ડીશનીંગ રૂમ અને સામાન્ય રૂમ નજીવી કિમંતે ઉપલબ્ધ છે ઉમા ભવન - અતિથિ ગૃહમાં કોઈપણ સમાજના વ્યક્તિ જરૂરી પુરાવા કાર્યાલયમાં જમા કરાવીને પોતાના પરિવાર સાથે વિશ્રામ માટે રોકાણ કરી શકે છે.

READ MORE

સ્વાદિષ્ટ મિઠાઈ તેમજ ફરસાણનું વિતરણ

ઉમાપુરમ - પ્રસાદી ઘર

ડિંડોલી તેમજ સુરત શહેર ના માઈ ભક્તો માટે શ્રી ઉમિયા માતાજી મંદિર, ડિંડોલી, સુરત ખાતે દિવાળી, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવાર નિમિતે મિઠાઈ (કાજુકતરી, કાજુકસાટા, મોહનથાળ) તેમજ ફરસાણનું વેચાણ કરવામાં આવે છે.
મોહનથાળ, બોમ્બે હલવો, ફુલવડી, તીખા અને મોળા ગાંઠીયા ૩૬૫ દિવસ/આખુ વર્ષ સવારે ૦૮.૦૦ કલાકે થી બપોરે ૧૨.૩૦ સુધી અને બપોરે ૦૨ ૦૦ કલાકે થી રાત્રે ૦૮.૦૦ સુધી વેચાણ ચાલુ રહે છે.

READ MORE

Other Services

,

સામાજિક કાર્યક્રમો

,

વિવિધ તહેવારોની ઉજવણી

,

શૈક્ષણિક કાર્યક્રમો

,

છોયડો

સિનિયર સિટિઝન માટે વિશ્રામની સુવિધા.

,

પંખીઘર

અબોલ પક્ષીઓ માટે ચણ અને પાણીની સુવિધા.

,

લગ્ન માટે સહાય

નજીવી કિંમતે વિધવા બહેનના પુત્ર કે પુત્રીના લગ્ન માટે સહાય.

News

Umapuram Events

We don't have any upcoming events, stay tuned for the latest news & events.
First time visitor

Find out more about temple.

શ્રી ઉમિયા માતાજી ની આરતી
ઉમાપુરમ, ડીંડોલી

રૂડા ઝગમગ દીવડે થાય, છોંટણા કંકુના છંટાય,
ઉતારો આરતી રે.. માં ઉમિયાની આરતી રે..
રૂડું ઉમાપુરમ સોહાય, ઉતારો આરતી રે.. માં ઉમિયાની આરતી રે..

Linsten On YouTube